જે વ્યકિત જતુ કરવાની ભાવના રાખે છે તેનુ કોઇ દિવસ કાંઇ જતુ નથી.
ને જે વ્યકિત ક્યારેય જતુ ના કરે તેનુ ક્યારેય કાંઇ બચતુ નથી........!!!
પ્રેમ કરવા માટે કોઈ લાયકાત ક આવડત હોવી જરૂરી છે ?
દરેક આંસુ ની ત્યારેજ કિંમત સમજાય છે.. જયારે દિલની નજીક નુ દિલથી દુર થાઇ જાય છે.. દિલાશો એટલોજ કે નશીબ બલવાન છે.. બાકી જીવન માં ના થવાનુ હોય તે બધુજ થાય છે.
હસવુ નથી છતા હસવુ પડે છે.. કોઇ પુછે કેમ છો તો મજામાં કેહવુ પડે છે.. જીદંગી 1 એવો "રંગમંચ" છે.. જ્યા બરબાદ થાઇ ને પણ નાટક ભજંવુ પડે છે..!
જામી છે મેહફિલ, મને પણ કાંઇક કેહવા દો, નશો ચડ્યો છે શબ્દોનો, બેભાન રેહવા દો, ખુલી આંખે તો જુઠનુ સગપણ છે, નશામાં જ કહી નાખું દાસ્તાન, આંસુઓને વેહવા દો
તરબતર આંખોય પ્યાસી નીકળી રાતરાણીની ઉદાસી નીકળી તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા ચાંદને જોવા અગાસી નીકળી
જીવવાનું એક કારણ નીકળ્યું ધૂળમાં ઢાંકેલું બચપણ નીકળ્યું મેં કફન માનીને લીધું હાથમાં એ સુખી માણસનું પહેરણ નીકળ્યું
અહિયા ત્યાં વહેંચાઈ છે લાગણી એન આર આઈ છે કોટે વળગી એ રીતે જાણે કે નૅકટાઈ છે
પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી ઉડ્ડયન કરતો રહું છું પાછળ કદી હટતો નથી મારા જીવનમાં ખામી શોધનારા સાંભળો બહુ ઊંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી
No comments:
Post a Comment